![](https://amdawadheritage.wordpress.com/wp-content/uploads/2023/09/380812073_1306844893537118_3518451787712941112_n-2.jpg?w=800)
ભાદરવી પૂનમના મેળાને લઇ શામળાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર, મંદિરમાં સવારે 5.45 કલાકે ઠાકોરજીની મંગળા આરતી અને સવારે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે.
![](https://amdawadheritage.wordpress.com/wp-content/uploads/2023/09/380341483_2310206519165044_1945784391284233069_n-3.jpg?w=819)
- શામળાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમનો મેળો
- શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો
- આવતીકાલે મંદિર વહેલી સવારે 5.00 વાગ્યે ખુલશે
યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આવતીકાલે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલી જશે અને મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે.
![](https://amdawadheritage.wordpress.com/wp-content/uploads/2023/09/384236905_1353540118608218_1134260659710716786_n-2.jpg?w=1024)
વહેલી સવારે ખુલી જશે મંદિરના દ્વાર
આવતીકાલે સવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સવારે 5.45 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. શામળાજી મંદિરે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. જે બાદ બપોરે 12.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.
મંદિર બંધ થશે રાત્રે 8.30 કલાકે
જે બાદ મંદિર 2.15 કલાકે દ્વાર ખોલવામાં આવશે. ઠાકોરજીની સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને 8.15 કલાકે શયન આરતી યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મેળાને લઇ મંદિરમાં ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
વિગત | દર્શનનો સમય |
મંદિર ખૂલશે | સવારે 5.00 વાગ્યે |
મંગળા આરતી | સવારે 5.45 વાગ્યે |
શણગાર આરતી | સવારે 8.30 વાગ્યે |
મંદિર બંધ | સવારે 11.30 વાગ્યે |
મંદિર ખૂલશે રાજભોગ આરતી | બપોરે 12.15 વાગ્યે |
મંદિર બંધ, ઠાકોરજી પોઢી જશે | બપોરે 12.30 વાગ્યે |
મંદિર ખૂલશે | બપોરે 2.15 વાગ્યે |
સંધ્યા આરતી | સાંજે 7.00 વાગ્યે |
શયન આરતી | રાત્રે 8.15 વાગ્યે |
મંદિર બંધ | રાત્રે 8.30 વાગ્યે |